Accident/ માલેગાંવથી સુરત જાન લઈ જતી ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં મોત

માલેગાંવથી સુરત જાન લઈ જતી ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં મોત

Top Stories Gujarat Surat
corona vaccine 4 માલેગાંવથી સુરત જાન લઈ જતી ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં મોત

  • અકસ્માતમાં ત્રણનાં મોત,સાત લોકો ઘાયલ
  • બાજીપુરા પાસે ખાનગી ટ્રાવેલને નડ્યો અકસ્માત
  • માલેગાંવથી સુરત જાન લઈ જતા હતા
  • ટેન્કર પાછળ ટ્રાવેલ્સ ઘુસી જતા અકસ્માત

તાપી નજીક સુરત-ધુલિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વ્યારાના બાજીપૂરા નેશનલ હાઈવે નં. 53 પર ખાનગી ટ્રાવેલ્સની બસ ટેન્કર પાછળ ઘુસી ગઈ હતી.  આ અકસ્માતમાં ૩ વ્યક્તિના મોત નીપજ્યા છે જયારે સાત વ્યક્તિ ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માલેગાંવ થી સુરતના લીંબયાતની મીઠીખાડી ખાનગી બસમાં શેખ પરિવાર જાન લઈને જતો હતો ત્યારે આ ખાનગી ટ્રાવેલ્સ બસને આ અકસ્માત નડ્યો છે. ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રથામિક તબક્કે જાણવા મળ્યું છે. આ ગમ્ખાવર અકસ્માતમાં 3 જણાના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10.33 કરોડ, US માં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર

Vaccine / આ જ રસી કોરોના વાયરસના દરેક સ્ટ્રેન પર હુમલો કરે એવી રસી આવતા વર્ષ સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરાશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…