@મુકેશ રાજપૂત, સુરત
ડીંડોલી માં પત્ની હત્યા કરી વચગાળાના જામીન રજા પરથી ફરાર આરોપી ને સુરત ડીસીબી પોલીસ એ કામરેજ તાલુકાના કઠોર ની માનસરોવર રેસિડેન્સી થી ઝડપી પાડ્યો છે .
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વિષ્ણુભાઈ રામચંદ્રભાઈ પ્રજાપતિએ 2014 માં તેની પત્ની સાથે ઓમ નગર સોસાયટી ડીંડોલી ખાતે રહેતો જ્યાં ઘર કંકાસ માં તેણે તેની પત્ની ગીતાબેન ને ઘર માં ગળું દબાવી મારી નાખી હતી જે બાબતે ડીંડોલી પોલીસ મથક માં ગુનો નોંધાયો હતો અને વિષ્ણુભાઈ ને પોલીસ એ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપયો જ્યાં થી તે 2015 મા વચગાળાના ના જામીન પર છૂટ્યો હતો અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો . જેને ડીસીબી એ કામરેજ ના કઠોર ગામે આવેલી માનસરોવર રેસિડેન્સી ના બિલ્ડીંગ નંબર એ/6 ના રૂમ નંબર 207 માંથી ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…