ભારત અને એશિયાનાં બીજા સૌથી શ્રીમંત ગૌતમ અદાણીને 43,500 કરોડ રૂપિયાનો આંચકો લાગ્યો છે. જણાવી દઇએ કે, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ભંડોળ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund નાં ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. અદાણી ગ્રૂપની 4 કંપનીમાં તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુનાં શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.
રાજકારણ / અરવિંદ કેજરીવાલ સાથે ઈશુદાન ગઢવીની મુલાકાત, થોડી ક્ષણોમાં થઇ શકે છે સત્તાવાર પુષ્ટી
આ સમાચાર પછી ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણીની 6માંથી 5 કંપનીઓને આ સમાચાર બાદ લોઅર સર્કિટ લાગી ગયો. આ ત્રણેયની અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા હિસ્સો છે. કસ્ટોડિયન બેંકો અને વિદેશી રોકાણકારોનું સંચાલન કરતી કાયદાકીય સંસ્થાઓ અનુસાર, આ વિદેશી ભંડોળમાં ફાયદાકારક ઓનરશિપ વિશે સંપૂર્ણ માહિતી ન હોઇ શકે. જેના કારણે તેમના ખાતા સ્થિર થઈ ગયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ, ફાયદારકારક ઓનરશિપ વિશે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. એક અધિકારીએ કહ્યું કે સામાન્ય રીતે કસ્ટોડિયન તેમના ગ્રાહકોને આવી કાર્યવાહી વિશે ચેતવણી આપે છે, પરંતુ જો ભંડોળ આનો જવાબ આપશે નહીં અથવા તેનું પાલન ન કરે તો એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ શકે છે. એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફંડ હાલની સિક્યોરિટીઝ વેચી શકશે નહીં અને નવી ખરીદી શકશે નહીં.
રાજકારણ / આખરે સત્તાવાર રીતે પાર્ટીનો ખેસ પહેરી ઈશુદાન ગઢવી AAP સાથે જોડાયા
આ સંદર્ભે એનએસડીએલ, સેબી અને અદાણી જૂથને મોકલવામાં આવેલા ઇમેઇલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund સાથે સંપર્ક કરી શકાયો નથી. આ ત્રણ ભંડોળ સેબી સાથે વિદેશી પોર્ટફોલિયોનાં રોકાણકારો તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી સંચાલન કરે છે. ત્રણેય લોકો પોર્ટ લૂઇમાં સમાન સરનામાં પર નોંધાયેલા છે અને તેમની કોઇ વેબસાઇટ નથી. કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરે 2019 માં એફપીઆઈ માટે કેવાઈસી (KYC) ડોક્યુમેન્ટેશનને પીએમએલએ મુજબ કરી દીધુ હતુ. ફંડ્સને 2020 સુધી નવા નિયમોનું પાલન કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે નવા નિયમોનું પાલન ન કરતા ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઈને કેટલીક વધારાની માહિતી પૂરી પાડવાની હતી. જેમા સામાન્ય માલિકીની જાહેરાત અને ફંડ મેનેજરો જેવા મુખ્ય કર્મચારીઓની વ્યક્તિગત વિગતોનો સમાવેશ થાય છે.