જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરની સીમમાં પોલીસ પાર્ટી પર થયેલા આતંકવાદી હુમલામાં એક પોલીસ અધિકારી શહીદ થયા અને બે જવાન ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સાંજે 7.15 વાગ્યે બની જ્યારે આતંકવાદીઓએ લાલ બજાર વિસ્તારમાં એક ચોકી પર ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ મુશ્તાક અહેમદ (56 વર્ષ) શહીદ થયા હતા, જ્યારે બે કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ અને અબુ બકર હુમલામાં ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.
નોંધનીય છે કે મુશ્તાક અહેમદનો પુત્ર આકિબ મુશ્તાક એપ્રિલ 2020માં કુલગામમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. કાશ્મીર ઝોન પોલીસે શહીદ અધિકારીને શ્રદ્ધાંજલિ આપી છે. રાજકીય પક્ષોએ પણ આ ઘટનાની નિંદા કરી છે.
#SrinagarTerrorIncidentUpdate: ASI Mushtaq Ahmad succumbed to his injuries & attained martyrdom. We pay rich tribute to the martyr for his supreme sacrifice made in the line of duty. Other two injured personnel are being treated. Further details shall follow: J&K Police
— ANI (@ANI) July 12, 2022
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો પર આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આ હુમલામાં મુશ્તાક અહેમદે જીવ ગુમાવ્યો હતો અને અન્ય બે સૈનિકો ઘાયલ થયા હતા. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ મુશ્તાક અહેમદના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
જયારેપીડીપીના પૂર્વ પ્રમુખ અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, લાલબજારમાં પોલીસકર્મીઓ પર થયેલા હુમલા વિશે જાણીને ખૂબ દુઃખ થયું. દુ:ખની આ ઘડીમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ મુશ્તાક અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે અને ગંભીર રીતે ઘાયલ બે પોલીસકર્મીઓના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.આતંકવાદી હુમલાને બર્બર ગણાવીને તેની નિંદા પણ કરી છે.