દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચેછેલ્લા ઘણા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ એક બાદ એક કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે, હવે તેમાં આદિત્ય નારાયણનો ઉમેરો થયો છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી પણ આ કોરોના વાયરસથી અછૂત નથી. શનિવારે આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલનો કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.. આ અંગેની માહિતી તેણે તેના ફેસબુક પર પોસ્ટ કરીને આપી હતી.
આદિત્ય અને શ્વેતાને કોરોના
કોવિડ -19 ની અસર ફિલ્મ ઉદ્યોગ પર વધી રહી છે. આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, મનોજ વાજપેયી, આમિર ખાન અને આર.કે. માધવન બાદ શનિવારે આદિત્ય નારાયણ અને આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલના કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની માહિતી તેણે તેના ફેસબુક પર પોસ્ટ કરીને આપી હતી.
Hello all! Unfortunately, my wife Shweta & I have tested positive for Covid-19 & are in quarantine. Please stay safe, continue following protocol & do keep us in your prayers. This too shall pass ❤️
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે- ‘ બધાને નમસ્કાર! કમનસીબે, મારી પત્ની શ્વેતા અને મેં કોવિડ -19 માટે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે, મહેરબાની કરીને સુરક્ષિત રહો, પ્રોટોકોલનું પાલન કરવાનું ચાલુ રાખો અને અમારા માટે પ્રાર્થના કરતા રહો. તે પણ પસાર થશે. પોસ્ટના અંતે, તેણે રેડ કલરનું હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે.
કોરોનાની રસી આવ્યા પછી, બોલિવૂડ ધીમે ધીમે તેની સામાન્ય કામગીરી તરફ આગળ વધી રહ્યું હતું. તેણે તેની ગતિ પકડવાની શરૂઆત કરી, પરંતુ તાજેતરના સમયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને બોલિવૂડના ઘણા કલાકારો તેનો શિકાર બન્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…