અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી આતંકવાદી ગતિવિધિઓ ચાલુ છે. શુક્રવારે પૂર્વ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. અહીં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે મૌલવી સહિત લગભગ 15 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ વિસ્ફોટ પૂર્વી અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં સ્પિન ઘરની એક મસ્જિદમાં થયો હતો. જેમાં મૌલાના સહિત લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ લગભગ 1:30 વાગ્યાની આસપાસ થયો હતો. આ એક પૂર્વ આયોજિત હુમલો હતો, કારણ કે શક્ય તેટલા લોકોને નિશાન બનાવવા માટે મસ્જિદની અંદર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :ઓક્સિજનથી ભરેલી ચંદ્રની સપાટી, આઠ અરબ લોકો 100,000 વર્ષ સુધી રહી શકે છે જીવિત
આ પહેલા અફઘાનિસ્તાનના ઉત્તરી કુન્દુઝ પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આ હુમલો શિયા મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ પહેલા 3 ઓક્ટોબરે અફઘાનિસ્તાનમાં મસ્જિદની બહાર બ્લાસ્ટ થયો હતો. જેમાં કેટલાક લોકોના મોત થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મિલિટરી હોસ્પિટલની સામે નાગરિકોને નિશાન બનાવીને મંગળવારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર થયો હતો. ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ હોસ્પિટલની બહાર પણ ગોળીબાર કર્યો હતો. જો કે, આ લડવૈયાઓને 15 મિનિટમાં તટસ્થ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :અમેરિકાની યુરોપને ચેતવણી,રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે,તણાવ વધ્યો
આ પણ વાંચો :દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના 4 બાળકોના અપહરણ કર્યા બાદ છોડી મૂક્યા
આ પણ વાંચો :આ તે કેવું ગામ જે જમીનની નીચે વસેલું છે, જેને જોવા વિશ્વભરમાંથી સહેલાણીઓ આવે છે..
આ પણ વાંચો :જર્મનીમાં 24 કલાકમાં 50 હજાર નવા કેસ, યુરોપમાં વધુ એક વેવની નવેસરથી ચિંતા