Political/ ગુજરાતમાં 32 વર્ષ બાદ ત્રિપાંખિયો જંગ જોવા મળશે,ચૂંટણી રસાકસીવાળી બની રહેશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ખુબ વધી ગયા છે

Top Stories Gujarat
3 57 ગુજરાતમાં 32 વર્ષ બાદ ત્રિપાંખિયો જંગ જોવા મળશે,ચૂંટણી રસાકસીવાળી બની રહેશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ખુબ વધી ગયા છે,આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ભાજપના ટોચના નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. રાજ્યમાં 32 વર્ષ બાદ ફરી એકવાર ત્રિપાંખિયો જંગ જામશે. આ વખતે ગુજરાતમાં ચૂંટણીમાં રસાકસી જોવા મળી શકે છે,એક બાજુ આમ આદમી પાર્ટી મફત રેવડીની જાહેરાત એ પણ ગેરંટી સાથે કરી રહ્યા છે, આ મામલે કોંગ્રેસ પણ વચન આપ્યા છે અને લ્હાણીની મસમોટી જાહેરાતો કરી છે.ભાજપ પણ હાલ વિકાસલક્ષી કાર્યોના કામ અને ગ્રાન્ટ મંજૂર કરીને ઇન્કબેકસીથી બચવા સતત પ્રયત્ન  કરી રહી છે. આપની 300 યુનિટ વીજળી ફ્રીની જાહેરાત મતદારોને આકર્ષિત કરી રહી છે,જયારે કોંગ્રેસ ખેડૂતોના દેવા સહિત જૂની પેન્શન યોજના સહિતના 8 વચનો આપ્યા છે ,આ વચનો પણ મતદારો વિચારી રહ્યા છે,ગુજરાત ભાજપનો ગઢ છે એટલે અહીંયા ભાજપ આત્મવિશ્વાસ સાથે મજબૂત છે,કારણ કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ટોચ પર છે. છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, 1990 બાદ ફરી એકવાર ત્રિપાંખિયો જંગ જામશે, આમ આદમીની પાર્ટી રાજ્કીય સમીકરણ બદલી શકે છે.આ ઉપરાંત સાંસદ એસદ ઓવૈસીની પાર્ટી AIMIM  મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરશે એ વાત તો નક્કી છે જેનો સીધો ફાયદાે ભાજપને થશે. આ AIMIM રાજયની 65 બેઠકો પર ચૂંટણી લડશે.

1990 બાદ રાજ્યમાં ત્રિકોણીયો જંગ જોવા મળશે. 1990ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હતા. ત્રણેય પક્ષોમાં કોંગ્રેસે સૌથી ઓછી 33 બેઠકો જીતી હતી. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. જનતા દળને 70 અને ભાજપને 67 બેઠકો મળી હતી. ત્યારે ગુજરાતમાં જેડી-બીજેપીની સરકાર બની હતી.

આ વખતે ગુજરાતનાં મતદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પસંદગી કરવાની છે. છેલ્લા 32 વર્ષમાં ‘આપ’ની જેમ અન્ય કોઇ પાર્ટીએ ગુજરાતમાં ભાજપને પડકાર્યું નથી.આ અલગ-અલગ મોડલની ટક્કર છે. ‘આપ’ પોતાના દિલ્હી મોડેલને લાગુ કરવા માટે કટિબદ્ધ છે, તો કોંગ્રેસ રાજ્યમાં રાજસ્થાન મોડેલની નકલ કરવા માટે ઉત્સુક છે. બીજી બાજુ ભાજપને તેનાં ગુજરાત મોડલ પર પૂર્ણ વિશ્વાસ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટી આવતા હવે રાજ્યના સમીકરણ બદલાઇ શકે છે,રાજકીય નિષ્ણાત દિલીપ ગોહિલ મંતવ્ય વેબને જણાવતા કહે છે. હાલ કંઇ પાર્ટી જીતશે એ કહેવું અતિરેક થશે, જ્યાં સુધી ત્રણેય પાર્ટીના ઉમેદવારની યાદી બહાર નથી પડી જતી ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે,ગુજરાતમાં પહેલા એવું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકશાન કરશે પરતું જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે  તેમ સમીકરણો પણ બદલાઇ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે ત્રિપાંખિયા જંગમાં કોણ જીતશે એ તો હવે આવનાર ચૂંટણીના પરિણામો જ કહેશે.