Crime/ 17 વર્ષની સગીરાને 6 શખ્સોએ રાજસ્થાનનાં યુવકને વેંચી, સગીરા ચુંગાલમાંથી ભાગતા મામલો ખુલ્યો

17 વર્ષની સગીરાને 6 શખ્સોએ રાજસ્થાનનાં યુવકને વેંચી, સગીરા ચુંગાલમાંથી ભાગતા મામલો ખુલ્યો

Ahmedabad Gujarat
punjab 14 17 વર્ષની સગીરાને 6 શખ્સોએ રાજસ્થાનનાં યુવકને વેંચી, સગીરા ચુંગાલમાંથી ભાગતા મામલો ખુલ્યો

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

શહેરમાં રહેતી એક સગીરાને 6 લોકોએ લાલચો આપી રાજસ્થાનના યુવકને વેચી દીધી. રાજસ્થાનના આ યુવકે સગીરા સાથે લગ્ન પણ કરી લીધા અને શારીરિક સંબંધો પણ બાંધ્યા.જોકે રાજસ્થાનથી ભરૂચ આ સગીરાને લઈ જવાતા રસ્તામાંથી આ સગીરા યુવકની ચુંગાલમાંથી નાસી છૂટી હતી. જ્યારે પોલીસ સમક્ષ હાજર થઈ અને મેડિકલ તપાસ થઈ ત્યારે સગીરાને આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો.

  • સગીરાને 6 લોકોએ વેચી દીધી
  • રાજસ્થાનના મળતીયા સાથે મળી એક યુવકને વેચી
  • સગીરાને ખરીદનાર યુવકે સેંથો પુરી લગ્ન કરી લીધા
  • ભરૂચ લઈ જતા સગીરા યુવકની ચુંગાલમાંથી છૂટી ગઈ
  • પોલીસ સમક્ષ હાજર થઈ તો સગીરાને 8 અઠવાડિયાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો

જુહાપુરાના  શાહરુખને એક સગીરા સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. શાહરૂખે તેના ઘરે બે માસ પહેલા સગીરાને બોલાવી પ્રેમભરી વાતો કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે બાદમાં થોડા દિવસ પહેલા જ એક એવી ઘટના બની જેમાં સગીરા પોલીસ સમક્ષ હાજર થઈ. સગીરા પોલીસ સમક્ષ  હાજર થતા પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું તો તેણીને આઠ અઠવાડિયાનો ગર્ભ સામે આવ્યો હતો. જેથી આ શાહરુખ સામે બળાત્કાર અને પોકસોનો ગુનો નોંધી ધરપકડ કરાઈ છે.

punjab 16 17 વર્ષની સગીરાને 6 શખ્સોએ રાજસ્થાનનાં યુવકને વેંચી, સગીરા ચુંગાલમાંથી ભાગતા મામલો ખુલ્યો
શાહરૂખ સગીરાનો પ્રેમી 

આતો થઈ સગીરા પર થયેલા બળાત્કારની વાત, પણ સગીરા સાથે આ પહેલા એક એવી ઘટના બની જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી. નરોડામાં રહેતી 17 વર્ષીય સગીરાએ ધો. 8 સુધી અભ્યાસ કરેલો છે અને તેના જન્મ પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું. ગઈ 5મી ફેબ્રુઆરીના રોજ માયા તથા સજ્જન, દિનેશભાઇ તથા વર્ષાબહેન ઉર્ફે ચુચી બહેન તથા કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે છત્રાલ થઈ ધાનેરા લઈ ગયા હતા.

Political / ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

રાજસ્થાનના કરશન ઉર્ફે રાજુ મારફતે સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી. બાદમાં સુરેશ પુરોહિતે આ સગીરાના કપાળમાં સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા અને તેના ઘરે રાખી અવાર નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. 13મી ફેબ્રુઆરીના રોજ આ સગીરાને સુરેશ રાજસ્થાનથી ભરૂચ લઈ જતો હતો. ત્યારે રામોલ ટોલનાકા પાસે આવતા જ આ સગીરાએ કુદરતી હાજતે જવાનું કહેતા તેને ગાડી ઉભી રાખવી સગીરાએ બુમાબુમ કરતા સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. સગીરા ગુમ થઈ હોવાથી તેની માતા અને બહેને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. રામોલ ટોલટેક્ષ પાસેથી સગીરાએ તેની બહેનને જાણ કરી હતી. બાદમાં તેને પોલીસ સ્ટેશન લવાઈ હતી. જ્યાં શહેરકોટડા પોલીસે સિવિલ હોસ્પિટલમાં આ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની પૂછપરછ માં સગીરાએ કહ્યું કે જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલા સબંધથી આ ગર્ભ રહ્યો હોવાની હકીકત જણાવી.

punjab 15 17 વર્ષની સગીરાને 6 શખ્સોએ રાજસ્થાનનાં યુવકને વેંચી, સગીરા ચુંગાલમાંથી ભાગતા મામલો ખુલ્યો

અરવલ્લી / જીલ્લા પોલીસવડાની કચેરીમાં જ પોલીસનો દારૂનો વેપાર..? LCB એ ઝડપેલા દારૂની હેરાફેરી

ગર્ભમાં રહેલું ભ્રુણ મરણ ગયું હોવાથી ડોકટરોએ સગીરાની માતા અને બહેનની મંજૂરી મેળવી આ મેડિકલ સારવારથી આ ભ્રૃણનો નિકાલ કર્યો. તો હવે આ બે પ્રકારની ઘટમાં સગીરા સાથે બનતા શહેરકોટડા અને સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી અપહરણ કરનાર આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.