અમદાવાદ,
ખેડુતોએ જમીન સંપાદનો વિરોધ કર્યો હતો. આ મામલે હાઇકોર્ટમાં ફરી એક વાર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે..કારણ કે બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડશે તેમાં ખેડુતોએ પોતાની ઘણી જમીન નષ્ટ થઈ રહી છે.
જેને લઇને ખેડૂતોને પોતાની માંગણી સાથે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ હાઇકોર્ટમાં અલગ અગલ વિષયો પર 5 અરજી હોવાથી ચુકાદો લખવામા વાર થશે. આથી ત્રીજી વાર પણ ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હાઇકોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા.