લોકસભાની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટો નિર્ણય લીધો છે. તેમણે ઉત્તર પ્રદેશ અને જિલ્લા કક્ષાએ તમામ યુવા અને જિલ્લા સમિતિનું વિસર્જન કર્યું છે. શુક્રવારે પાર્ટી ઓફિસમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પ્રમુખ અખિલેશ યાદવે રાજ્ય કારોબારી, તમામ જિલ્લા કારોબારી અને યુવા સહિત અન્ય કારોબારી સમિતિનું વિસર્જન કર્યું છે, પરંતુ પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમને તેમના પદ પર જાળવી રાખ્યા છે. સુહેલદેવ, ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર, અખિલેશ યાદવને મળવા માટે પોહચ્ય હતા. લગભગ અડધો કલાક સુધી બંને વચ્ચે વાતચીત થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.