Bollywood/ અલી અબ્બાસ ઝફર મને ગંભીર પાત્ર માટે કાસ્ટ કરશે એવું ક્યારેય ધાર્યું નહોતુ : સુનિલ ગ્રોવર

તોડવમાં હું સાડી પહેરીને લોકોને હસાવવાનો નથી, એમ સુનિલ કહીને વાર્તા આગળ વધારે છે, શો વિશે મેં સૌપ્રથમ સાંભળ્યું ત્યારે જ આ જૂના યુગની, જૂની ઘરેડની રાજકીય વાર્તા હોવાની અપેક્ષા હતી.

Entertainment
a 170 અલી અબ્બાસ ઝફર મને ગંભીર પાત્ર માટે કાસ્ટ કરશે એવું ક્યારેય ધાર્યું નહોતુ : સુનિલ ગ્રોવર

સદાબહાર સુનિલ ગ્રોવર મોટે ભાગે કોમિક રોલ્સ અને પાત્રો ભજવતો જોવા મળે છે, પરંતુ બહુપ્રતિક્ષિત એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવમાં તે સંપૂર્ણ નવા અવતારમાં સ્ક્રીન પર આવીને દર્શકોને સરપ્રાઈઝ આપવા તૈયાર છે. ચાહકો તેના સ્ક્રીન પર પાછા આવવાની અને અદભુત પરફોર્મન્સ સાથે ચમત્કાર સર્જવાની વાટ જોઈ રહ્યા છે. હાલમાં સુનિલે તાંડવ વિશે સાંભળ્યા પછી પ્રથમ પ્રતિક્રિયા આપી અને તેના ખુશમિજાજી વ્યક્તિત્વ છતાં આ પાત્ર કઈ રીતે મળ્યું તે વિશે પણ તેણે વાતો કરી.

તોડવમાં હું સાડી પહેરીને લોકોને હસાવવાનો નથી, એમ સુનિલ કહીને વાર્તા આગળ વધારે છે, શો વિશે મેં સૌપ્રથમ સાંભળ્યું ત્યારે જ આ જૂના યુગની, જૂની ઘરેડની રાજકીય વાર્તા હોવાની અપેક્ષા હતી. જોકે મેં સૌપ્રથમ વાર સ્ક્રિપ્ટ વાંચતાં જ હું ખોટો પડી ગયો હતો. તાંડવ બહુ જ રોચક વાર્તા છે. હું પણ વાંચતાં જકડાઈ ગયો અને આખી સ્ક્રિપ્ટ વાંચી નાખી. શો બહુસ્તરીય પાત્રો સાથેની હોવાથી મને મોહિત કરે છે.

તેણે જણાવ્યું કે હું કોમેડીની જૂની ઘરેડમાં ક્યાંક અટવાઈ ગયો હતો. જેથી આવી સિરીઝનો હિસ્સો બનવા માગતો હતો. અગાઉ હું કોમેડી અને મોજીલો પાત્રોની પાર ભાગ્યે જ વિચારતો હતો. આથી જ અલી અબ્બાસ ઝફર મને આવા ગંભીર અને સધન પાત્ર માટે કાસ્ટ કરશે એવું ધાર્યું નહોતું. અલીએ મને ગુરપાલના પાત્ર માટે હું પ્રથમ પસંદગી છું અને પાત્રને હું જ ન્યાય આપી શકીશ એવો વિશ્વાસ છે એમ કહ્યું ત્યારે મને આથર્ય થયું હતું.

આ ગંભીર પાત્ર ભજવવાના અનુભવ વિશે બોલતાં અભિનેતાએ જણાવ્યું કે મને ડાયરેક્ટર પાસેથી આ માટે માર્ગદર્શન મળ્યું હતું. સુનિલ ઉમેરે છે. હું કોમેડી ભૂમિકાથી ટેવાઈ ગયો છું. આથી આ પાત્ર અલગ કઈ રીતે ભજવાશે તે અલીએ મને જણાવ્યું હતું. મને રસપ્રદ રુચિ લાવવાની આખી પ્રક્રિયામાં આ નવો અનુભવ બહુ જ ગમ્યો છે.

હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત આ 9 એપિસોડના રાજકીય ડ્રામામાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, દિનો મોરિચાં, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમારા દસ્તુર, મહંમદ ઝીશાન અટ્યુબ, કૃત્તિકા કામરા, સારાહ જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ પાહુજા, શૌનાલી નાગરાની વગેરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો