અમદાવાદઃ અમદાવાદીઓ માટે નવું નજરાણું Tourist place આગામી સમયમાં તૈયાર થશે. આગામી સમયમાં એલિસબ્રિજ ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવાઈ શકે છે. આમ અમદાવાદીઓ નવા નજરાણા માટે તૈયાર રહે. તેના માટેની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે. હવે એએસઆઇની મંજૂરી મેળવવાની જ બાકી છે.
આમ અમદાવાદીઓ માટે અટલબ્રિજ પછી વધુ એક નજરાણું હાજર થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા આ દિશામાં કામગીરી શરૂ થઈ ચૂકી છે.
આગામી સમયમાં અમદાવાદીઓને અટલબ્રિજ બાદ એક નવું નજરાણું એલિસબ્રિજ પર મળવાનું છે. અહેવાલ છે કે, શહેરમાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજને બહુ જલદી વિકસાવવામાં આવશે.
આ એલિસબ્રિજને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન Tourist place બનાવવામાં આવ્યો હતો, અંગ્રેજોએ વર્ષ 1892માં એલિસબ્રિજની વચ્ચે એક બ્રિજ બનાવ્યો હતો. હવેઆ ભાગને હવે એએમસી દ્વારા વિકસાવવામાં આવશે, એલિસબ્રિજના આ ભાગને એએમસી દ્વારા ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે. ખાસ વાત છે કે, આ એલિસબ્રિજના ભાગને આગામી સમયમાં AMC ઓફિશિયલ રીતે ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એલિસબ્રિજનો વચ્ચેનો ભાગ હાલમાં બંધ Tourist place અવસ્થામાં છે, આ ભાગ જર્જરિત થવાના કારણે વર્ષ 2008થી વાહનચાલકો માટે બંધ કરાયો હતો અને બાદમાં વર્ષ 2015થી રાહદારીઓ માટે પણ આ બ્રિજને બંધ કરવામાં આવી દીધો હતો.
એલિસબ્રિજના આ ભાગને ટૂરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવશે, બ્રિજની ડિઝાઇન સાથે છેડછાડ કર્યા વિના ફરીથી એકવાર એલિસબ્રિજ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Accident/અમેરિકામાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના યુવકનું મોત
આ પણ વાંચોઃ ષડ્યંત્ર પર્દાફાશ/પિક્ચરની સ્ટોરીને ટક્કર માટે તેવી સ્ટોરી, પોલીસને આ રીતે કરી ગુમરાહ
આ પણ વાંચોઃ નિમણૂક/ગુજરાત યુનિ. બાદ GTUમાં પણ મહિલા VCની નિમણૂક,જાણો કોને સોંપાઇ જવાબદારી
આ પણ વાંચોઃ સહકાર થકી સમૃદ્ધિ/આ ધંધાના કમાણી જેવી બીજા કોઈ ધંધામાં નહિ ! આકંડો જાણી ચોંકી જશો
આ પણ વાંચોઃ South Gujarat-Rain/સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ મેઘરાજા હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે