અમદાવાદ,
આજે શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પર અમદાવાદ ડિવિઝન ઘ્વારા એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમયમાં કન્ટ્રોલ રૂમમાં સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ગુડ્ઝ ટ્રેન સાથે એક બસ ટકરાઈ છે જેમાં કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે તથા રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
આ સૂચના પ્રસારિત થાટની સાથેજ સંબંધિત વિભાગ તરત જ શક્રિય થઇ ગયો હતો. તે સાથેજ રાજ્ય વહીવટી તંત્રના અધિકારીઓ, એમ્બુલેન્સ તથા એલવેની અકસ્માત રાહત મેડિકલ ઇકવીપમેન્ટ વાન ટ્રેન અને ઇમાર્ગેણસી ટિમ ડોક્ટર્સ સાથે તરત જ ઘટના સ્થળે પોહચી ગઈ હતી.
ડિવિઝિનલ રેલવે મેનેજરદિનેશ કુમાર તથા અન્ય વિભાગય અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પોહચી ગયા હતા. આ પ્રકારની મોકડ્રિલ રેલવે વહીવટી તંત્ર તથા અન્ય વિભાગો ઘ્વારા સતર્કતા તથા તેનમી જાગૃતિ ચકાસવા માટે કરવામાં આવે છે.
આ મોકડ્રિલમાં બધીજ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે છે. આ મોકડ્રિલમાં ગાંધીનગર NDRFની ટીમના ૪૫ સભ્યો પણ જોડાયા હતા.