દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગુરુવાર થી તમામ લોકલ ટ્રેનો દોડાવવા જઈ રહી છે. તમામ ટ્રેનો પહેલાની જેમ જ દોડશે. કોરોના સંક્રમણને કારણે આ ટ્રેનોને રોકવામાં આવી હતી. સતત ઘટતા કેસોને જોતા તમામ ટ્રેનોને પહેલાની જેમ પૂર્ણ ક્ષમતા સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પ્રવાસી લોકો અને તમામ સ્ટાફ માટે રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું છે. બંને ડોઝ લેનારાઓને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. ઓગસ્ટની શરૂઆતમાં, જેમણે કોરોના રસીના બીજા ડોઝથી 14 દિવસનું અંતર પૂર્ણ કર્યું હતું તેમને મુંબઈની લોકલમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેઓએ સ્માર્ટફોન, વોર્ડ ઓફિસ અને ઉપનગરીય રેલ્વે સ્ટેશનોમાંથી પ્રમાણપત્રો મેળવવાના હતા.