Rajkot News: રાજકોટની જનાના હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. તબીબની બેદરકારીથી 3 મહિનાનાં બાળકનું મોત થયાનું પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
રાજકોટમાં આવેલી જનાના હોસ્પિટલમાં ગઈ કાલે ઘટના બની હતી. માહિતી મુજબ, 3 મહિનાનાં ઈમરાન કાથરોટિયાં નામનું બાળક બિમાર થતાં ગોંડલથી રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, બાળકની માતાએ આક્ષેપ કર્યો છે કે તેનું બાળક બિમાર હતું, તેને સારવાર અર્થે હોસ્ટિટસ લાવ્યા હતા. પરંતુ તબીબે આંચકીનું કહી મશીનમાં સારવાર માટે રાખ્યો હતો.
પરિઁણામે સારવાર દરમિયાન મશીન ગરમ થવાથી બાળકનો પગ દાઝી ગયો હતો. તેમજ બાળકનું મૃત્યુ થવાથી પોતાના વહાલસોયા દીકરાને ગુમાવતા માતાપિતાએ જનાના હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ તબીબોની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ
આ પણ વાંચોઃ અમદાવાદ RTOમાં ફરી સર્વર થયું ઠપ
આ પણ વાંચો: અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે