Not Set/ ત્રીજી લહેરની આશંકા વચ્ચે સોમવારે કોરોનાના નવા કેસ 22 નોંધાયા

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25  છે.

Gujarat
corona 1 ત્રીજી લહેરની આશંકા વચ્ચે સોમવારે કોરોનાના નવા કેસ 22 નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કહેરમાં ધીમે ધીમે ઘટી  રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 22  નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24, 396   પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 25  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 814595     છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 251  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.