અમેરિકન પોપ સિંગર રિહાન્ના સહિતની પ્રખ્યાત વિદેશી હસ્તીઓનાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગેનાં પ્રચાર અંગે ભારતનાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારતની આંતરિક બાબતો મામલે કોઇએ પણ દલીલ કરવી જોઇએ નહીં. ગૃહમંત્રીએ કહ્યું છે કે આવો કોઈ પણ પ્રચાર ભારતની એકતાને તોડી શકે નહીં. કે કોઈ પણ લોકો ભારતને તેને નવી ઉંચાઈઓ મેળવવાથી રોકી શકે નહીં. ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે એક ટ્વીટ દ્વારા અમેરિકન પોપ સિંગર રિહાન્ના સહિતનાં વિદેશી ચંચુપાતીઓને જવાબ આપ્યો હતો.
ગૃહમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે, “કોઈ પણ પ્રચાર ભારતની એકતાને તોડી શકે નહીં.” કોઈ પ્રચાર ભારતને ઉંચાઈ પ્રાપ્ત કરવામાં રોકી શકે નહીં. ભારતનું ભાગ્ય કોઈ પ્રચાર નહીં, ફક્ત તેની પ્રગતિ નક્કી કરશે. ભારત એક છે અને પ્રગતિ માટે એક સાથે છે.” ગૃહમંત્રીએ ટ્વીટ સાથે #IndiaAgainstPropaganda #IndiaTo હેશટેગનો ઉપયોગ કર્યો છે.
No propaganda can deter India’s unity!
No propaganda can stop India to attain new heights!
Propaganda can not decide India’s fate only ‘Progress’ can.
India stands united and together to achieve progress.#IndiaAgainstPropaganda#IndiaTogether https://t.co/ZJXYzGieCt
— Amit Shah (@AmitShah) February 3, 2021
અમેરિકન પોપ ગાયક રીહાન્ના, સ્વીડન આબોહવા કાર્યકર ગ્રેટા થનબર્ગ, અમેરિકન અભિનેત્રી અમાન્ડા કેરની, યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ સહિત અનેક હસ્તીઓ ભારતમાં ચાલી રહેલા ખેડૂતો આંદોલન વિશે ટ્વિટ કર્યુ છે. આ અંગે ભારતમાંથી તીવ્ર પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલય ઉપરાંત સરકારના ઘણા મંત્રીઓ અને રમતગમતથી લઈને બોલીવુડ સુધીની હસ્તીઓએ આ અંગે ઉત્તમ જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે કામગીરી અંગે ઉતાવળથી ટિપ્પણી કરતા પહેલા તથ્યોની તપાસ થવી જોઈએ અને સોશિયલ મીડિયા પર હેશટેગ્સ અને સનસનાટી ભરી ટિપ્પણીઓ ન તો યોગ્ય છે કે ન તો જવાબદારી વાળી છે. મંત્રાલયે કહ્યું છે કે કેટલાક સ્વાર્થી જૂથો દેખાવો પર પોતાની કાર્યસૂચિ લાદવાની કોશિશ કરી રહ્યા છે અને સંસદમાં સંપૂર્ણ ચર્ચા બાદ પસાર થયેલા કૃષિ સુધારણા અંગે દેશના કેટલાક ભાગોમાં ખેડુતોનાં ઘણા નાના વર્ગને વાંધો છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “અમે વિનંતી કરીશું કે આ પ્રકારના કેસોમાં ઉતાવળથી ટિપ્પણી કરતા પહેલા આ તથ્યોની તપાસ કરવામાં આવે અને મુદ્દાઓની યોગ્ય સમજ વિકસિત કરવામાં આવે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “સોશિયલ મીડિયા પર હેશટેગ્સ અને ટિપ્પણીઓને સનસનાટીભર્યા કરવાની વિનંતી, ખાસ કરીને હસ્તીઓ અને અન્ય લોકો દ્વારા, તે યોગ્ય કે જવાબદારી ભર્યુ નથી.”
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
