અમરેલી,
અમરેલીના બાબરા માર્કેટિંગયાર્ડમાં ટેકાના ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા. છેલ્લા ૫ દિવસોથી ખેડૂતો મગફળી લઈને આવે છવા પરંતુ ભાવ ન મળતા ખેડુતોએ હોબાળો કર્યો હતો.
ખેડૂતોએ ન્યાય આપોના નારાઓ લગાવ્યા…એસ.એમ.એસ આવવા છતાં 5 દિવસોથી હેરાન થવું પડ્યાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
મગફળી લઈને આવતા વાહનોનું ભાડું માથે પડતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા. તંત્ર દ્વારા ટ્રકો ખાલી ન થતા હોવાથી મગફળીનો સ્ટોક વધી ગયો હોવાથી ખેડૂતો પરેશાન થયા. ૪૦ ને બદલે ૭૦ જેટલા ખેડૂતોને એસ.એમ.એસ આવતા હોવાથી બિનઆયોજનના કારણે ખેડુતો પરેશાન થયાના આક્ષેપો કરાયા હતા.