West Bengal News : આગામી લોકસભાની ચૂંટણીમાં રવિવારે ભાજપે પાંચમું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં 111 ઉમેદવારોના નામ છે.બીજેપીએ પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટ પરથી રાજમાતા અમૃતા રાયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જે ટીએમસીની મહુઆ મોઈત્રાને ટક્કર આપશે. આ સીટ પશ્ચિમ બાગાળની મહત્વની બેઠકો પૈકીની એક છે.
અમૃતા રોય કૃષ્ણાનગરના પ્રતિષ્ઠિત રજવાડી (રોયલ પેલેસ)ની રાજમાતા છે. તેમની સંભવિત ઉમેદવારીને લઈને છેલ્લા ઘમા સમયથી અટકળો ચાલી રહી છે. 20 માર્ચના રોજ અમૃતા રોટ બીજેપીમાં સામેલ થયા હતા. તેમણે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. નદીયા જીલ્લાના ઈતિહાસમાં રાજા કૃષ્ણચંદ્રનું યોગદાન સૌ જાણે છે. ચુટણી નિષ્ણાતોનું માનવું છે કે અમૃતા રોયની ઉમેદવારીથી બીજેપીને ફાયદો થશે અને મહુઆ મોઈત્રાને ટક્કર આપશે.
ટીએમસી લીડર મહુઆ મોઈત્રાએ 2019માં લોકસભાની ચૂંટણીમાં કૃષ્ણનગરની સીટ કબજે કરી હતી. તેમણે ભારે અંતરથી જીત મેળવી હતી. તેમની જીત પાછળનું કારણ ચોપડા, પસલાશીપારા અને કાલીગંજ વિધાનસભા હતી. તેમાં મોઈત્રાને ભારે મત મળ્યા હતા. પાછલા પાંચ વર્ષમાંકાલીગંજ વિધાનસભામાબીજેપીનું સગઠ્ઠન ખૂબ મજબુત બન્યું છે.
આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….