Anand News : આણંદમાં રહેતા અને કેદારનાથના દર્શને ગયેલી એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ પરિણીતાનું હાર્ટએટેકને કારણે મોત નીપજ્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
આણંદમાં રહેતા અને મૃત્યુ પામેલી મહિલાનું નામ જાગૃતિબેન બારોટ હોવાનું જાણવા મળ્યું છે. જાગૃતિબેન તેમની સોસાયટીના રહીશો સાથે ચારધામની યાત્રાએ ગયા હતા. જેમાં કેદારનાથ ખાતે તેઓ દર્શન કરવા ગયા હતા ત્યારે તેમનેહાર્ટએટેક આવ્યો હતો. જેમાં તેમનું મોત નીપજ્યુ હતું.
બીજીતરફ સાંસદ મિતેષ પટેલના પ્રયાસને કારણે મૃતક જાગૃતિબહેનનો મૃતદેહ આણંદ લાવવામાં આવ્યો હતો. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો:અધીરને ખડગેની ચેતવણીથી બંગાળના કાર્યકરો નારાજ, કોંગ્રેસ અધ્યક્ષના ફોટા પર પૌત્રીએ શાહી લગાવી
આ પણ વાંચો:પતંજલિની સોનપાપડીના સેમ્પલ પણ ફેલ, રામદેવ હવે શું કરશે?
આ પણ વાંચો:અટાલા મસ્જિદ કે મંદિર? 22મીએ થશે સુનાવણી, જાણો શું છે આખો વિવાદ