બીજેપીના અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લુ હોવાનો મામલો સામે આવ્યો છે તેમને સારવાર અર્થે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ અમિત શાહની તબિયત સારી છે અને તેમને થોડા દિવસોમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
બીજેપી પાર્ટીના મીડિયા પ્રમુખ અને રાજ્યસભાના સદસ્ય અનિલ બલુનીએ કહ્યું છે કે અમિત શાહનું સ્વાસ્થ્ય સારું છે અને તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. તમારા બધાની શુભકામનાઓ માટે આભાર.
અમિત શાહની સારવાર એઇમ્સના સીનયર ડૉક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહ ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં આવ્યા હતા અને વાડજ વિસ્તારની એક સોસાયટીના ધાબા પરથી પતંગ ચડાવ્યો હતો.