રાજકોટ/ જલારામ જન્મજયંતિ ના વધામણા કરવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ..

જલારામ બાપાની જન્રમજયંતિને લઈને રઘુવંશી સમાજ સહિત અનેક ભકતજનો કાલે પૂ. બાપાની ભક્તિમાં તલ્લિન થઈ ધન્ય થશે.

Gujarat Rajkot
Untitled 140 જલારામ જન્મજયંતિ ના વધામણા કરવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ..

આવતીકાલે કારતક સુદ-સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મદિવસ  છે  ત્યારે ગુજરાત અને સમગ્ર દેશ વિદેશમાં પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિની શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક દબદબાભેર ઉજવણી થશે.   જલારામ બાપાની જન્રમજયંતિને લઈને રઘુવંશી સમાજ સહિત અનેક ભકતજનો કાલે પૂ. બાપાની ભક્તિમાં તલ્લિન થઈ ધન્ય થશે. ત્યારે શહેરમાં પણ રઘુવંશી સમાજ-મહિલા મંડળ તેમજ ભકતજનો દ્વારા ઠેર ઠેર બાપાના 222માં જન્મોત્સવને ઉજવવા થનગની રહ્યા છે.

જેમા મહાઆરતી બુંદી-ગાંઠીયા, રોટલો, માખણનો પ્રસાદ તો કયાંક 1500થી 2000 માણસનો મહાપ્રસાદ આમ ભજન અને ભોજનના કાર્યક્રમો સભર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ પણ વાંચો :ગુજરાત / દેશનાં ઇતિહાસમાં સૌથી મોટાડ્રગ્સ મુદ્દે પર્દાફાશ,હર્ષ સંઘવીએ ગુજ.પોલીસને આપ્યા અભિનંદન

જલારામ ઝુંપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંત શીરોમણી પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિ પ્રસંગે કાલે જલારામધામ રાજસમઢીયાળા ખાતે સવારે 11 કલાકે મહાઆરતી કરવામાં આવશે સાથે અન્નકુટ દર્શનનો લાભ પણ આપવામાં આવશે બપોરે 12 કલાકે સર્વ બટુકો બાળાઓને પૂ. જલારામ બાપાની પ્રસાદી ભોજન પીરસવામાં આવશે

જલારામ જન્મજયંતિ નિમિતે રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા આવતીકાલે આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા સાંજના 5 થી 6.30 વાગ્યા સુધી તથા 7.15 મીનીટે મહારાજ આરતી ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જાગૃતીબેન ખીમાણી મો. 7878036141માં નામ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આ પણ વાંચો ;જાહેરાત / ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી જીતવા માટે પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત…