Gandhinagar News/ ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani,)ની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ (Fertilizer Distribution)વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે

Gujarat Gandhinagar
કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani,)ની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ (Fertilizer Distribution)વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે

Gandhinagar News : રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani,)ની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ (Fertilizer Distribution)વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani,)એ આ અંગે વિગતો આપતાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં સબસિડાઈઝડ ખાતરનો ઔદ્યોગિક કે બિન-કૃષિ ઉપયોગ તરફનો ડાયવર્ઝન, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરવી, કાળા બજારી (Fertilizer Black Marketing), બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ કરવા જેવી ગેરરીતિઓ સાંખી લેવામાં આવશે નહીં. ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા ‘ટોપ ડીલર્સ’ની પણ વિગતવાર તપાસ કરશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે.

આ તપાસ અધિકારીઓ યુરીયા ખાતરનો વપરાશ કરતાં યુનીટોની પણ મુલાકાત લેશે તેમજ શંકાસ્પદ યુરીયા (Urea)ના નમુના લઈને ખાતર ઉદ્યોગોમાં ડાયવર્ટ ન થાય તે સુનિશ્ચિત કરશે. દરેક તપાસ અધિકારીના કામગીરીની દેખરેખ માટે નિરીક્ષણ અધિકારીની પણ ઝોન વાઈઝ નિમણૂક કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર પ્રક્રિયાનું રાજ્યના ખેતી નિયામક દ્વારા રોજેરોજ મોનિટરિંગ કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર કે એજન્સી સ્ટોકમાં અનિયમિતતા, વધુ ભાવ વધારો કે ટેગિંગ જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોને ખાતર પુરવઠો સરળતાથી અને યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.


આ પણ વાંચો : નવસારીમાં ખાતર વિતરણ માટે ડિજિટલ ક્રાંતિ, હવે QR કોડથી મળશે સબસિડીવાળું ખાતર

આ પણ વાંચો : ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન

આ પણ વાંચો : ગુજરાત સરકારનો ખાતર વિતરણને લઈ મહત્વનો નિર્ણય, હવે રાજ્ય કક્ષાએથી રખાશે ખાતર વિતરણ પર નજર