Not Set/ નિયત સંખ્યા કરતાં વધુ લોકો લગ્નમાં ભેગા થતાં વરરાજાના બનેવીની ધરપકડ

એન્કર નવસારીના વિજલપોર શહેરમાં લગ્ન સમારંભ પોલીસે પડ્યો ભંગ નિયત સંખ્યા કરતાં વધુ લોકો લગ્નમાં ભેગા થતાં વેજલપુર પોલીસે લગ્નના રંગમાં ભંગ પાડી ને વરરાજા ના બનેવી ની ધરપકડ કરી.

Gujarat Others Trending
shab 9 નિયત સંખ્યા કરતાં વધુ લોકો લગ્નમાં ભેગા થતાં વરરાજાના બનેવીની ધરપકડ

નવસારીના વિજલપોર શહેરમાં લગ્ન સમારંભ પોલીસે પડ્યો ભંગ નિયત સંખ્યા કરતાં વધુ લોકો લગ્નમાં ભેગા થતાં વેજલપુર પોલીસે લગ્નના રંગમાં ભંગ પાડી ને વરરાજા ના બનેવી ની ધરપકડ કરી.

રાજ્ય સરકારે લગ્નમાં કેટલા લોકો ભેગા થશે તેને લઈને ગાઈડલાઇન્સ બહાર પાડી છે છતાં અનેકવખત લગ્નમાં બેદરકારીને કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા હોય છે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ હોય છે, ત્યારે નવસારી જીલ્લાના વિજલપુર વિસ્તારમાં પણ પાટીલ સમાજની વાડીમાં સંતોષ સદાશિવ ના લગ્ન હતા જેમાં આશરે ૩૦૦ જેટલા લોકો લગ્ન સમારંભમાં ભેગા થઇ જતાં પોલીસ આવી ચડી હતી અને કેટલાક સમય માટે લગ્નની વિધિ પણ અટકી પડી હતી.

પોલીસે તમામ વધારાના લોકોને બહાર કાઢીને સોશિયલ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી સાથે જ વરરાજાના બનેવી દેવા શિરસાઠ ની લગ્નમાંથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. લગ્ન સમારંભ પોલીસ દ્વારા પરવાનગી લીધી છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવી હતી અને પરવાનગી મુજબ 50 લોકો ની પરવાનગી પોલીસ સ્ટેશન માંથી આપવામાં આવી હતી પણ એકાએક જાનૈયા નું ટોળું લગ્નમાં ઉમટી પડતાં તેઓ પણ ટોળું ઘટે તે માટેના પ્રયત્નો કરી રહ્યા હતા તે પહેલા પોલીસ આવી અને કાર્યવાહી કરવામાં આવી.