Not Set/ Arun Jaitley  : રાજનાથ બાદ મેનકા ગાંધીએ પણ કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના

શનિવારે નવી દિલ્હીના એઇમ્સમાં ભાજપ  નેતા અને ભૂતપૂર્વ નાણાં અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીના નિધન પછી, ભાજપના મોટા નેતાઓએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનૌના ત્રણ દિવસીય પ્રવાસ પર હતા જ્યારે મેનકા ગાંધી તેમના સંસદીય ક્ષેત્ર સુલતાનપુરના બે દિવસીય પ્રવાસ પર હતા. રાજનાથ સિંહ શનિવારે દિલ્હી જવા રવાના થયા હતા, […]

Top Stories India
1jetli Arun Jaitley  : રાજનાથ બાદ મેનકા ગાંધીએ પણ કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના

શનિવારે નવી દિલ્હીના એઇમ્સમાં ભાજપ  નેતા અને ભૂતપૂર્વ નાણાં અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીના નિધન પછી, ભાજપના મોટા નેતાઓએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનૌના ત્રણ દિવસીય પ્રવાસ પર હતા જ્યારે મેનકા ગાંધી તેમના સંસદીય ક્ષેત્ર સુલતાનપુરના બે દિવસીય પ્રવાસ પર હતા. રાજનાથ સિંહ શનિવારે દિલ્હી જવા રવાના થયા હતા, જ્યારે મેનકા ગાંધી આજે લખનૌથી દિલ્હી ગયા છે.

ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીના નિધનને દેશ માટે એક મોટું નુકસાન ગણાવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગઈકાલે  લખનૌથી દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ લખનૌથી મથુરા જવા રવાના થયા હતા અને આગ્રા પહોંચ્યા હતા, તે દરમિયાન તેમણે આગ્રાના મથુરા જવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો અને ત્યાંથી તેઓ સીધા દિલ્હી ગયા હતા.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ સુલતાનપુરની બે દિવસીય મુલાકાત દરમિયાન લગભગ દોઢ દજન કાર્યક્મ્ને સ્થગિત કરીને દિલ્હી જવા રવાના થયા છે.  અરુણ જેટલીના અવસાનને કારણે તેઓ પોતાનો કાર્યક્રમ  રદ કરી દિલ્હી જવા રવાના થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.