દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલની સુરક્ષામાં તૈનાત PCR વાન પર શનિવારે રાત્રે અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. નવીન જિંદાલે રવિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. હુમલાને પોતાના પરિવારની સુરક્ષા સાથે જોડીને નવીન જિન્દાલે કહ્યું કે મારા પરિવારના જીવને ઈસ્લામિક જેહાદીઓથી ખતરો છે. ઉલ્લેખનીય છે કે 29 જૂને પણ નવીન જિંદાલે ટ્વીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની વાત કરી હતી. નવીન જિંદાલ પયગંબર મોહમ્મદ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા હતા. આ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
मेरे परिवार की जान को इस्लामिक जिहादियो से ख़तरा है मैं एक माह मे @DelhiPolice को कई बार सबूत सहित लिखित मे दे चुका हूँ मेरे निवास पर एक PCR एक सिपाही के साथ तैनात है
रात मे जिहादियो ने PCR के शीशे तोड़कर संदेश दिया है@CPDelhi मेरी व मेरे परिवार की सुरक्षा का पुख़्ता प्रबंध करे pic.twitter.com/nEwGTN4TYA— Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) July 17, 2022
નવીન જિંદાલે આજે સવારે ટ્વીટ કરીને કહ્યું કે મેં મારા પરિવારના જીવને જોખમ હોવા અંગે પુરાવા સાથે અનેકવાર દિલ્હી પોલીસને જાણ કરી છે. તેણે કહ્યું કે મારા ઘરે એક પીસીઆર વાન અને એક કોન્સ્ટેબલ તૈનાત છે. રાત્રે જેહાદીઓએ પીસીઆરના કાચ તોડીને મારા અને મારા પરિવાર પર હુમલાનો સંદેશો આપ્યો છે.
નવીન જિંદાલે લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે અવારનવાર પોતાના ત્રણ-ચાર પોલીસ કર્મચારીઓ સાથે આવે છે અને ફોટોગ્રાફ્સ લઈને નીકળી જાય છે. ઘણી વખત મેં તેમને જીવના જોખમ વિશે વાત કરી, તો લક્ષ્મીનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત છે, અમે ક્યાંથી અને કેવી રીતે પોલીસ કર્મચારીઓને તૈનાત કરીશું. દિલ્હી પોલીસ કમિશનરને આ સંદર્ભમાં માહિતી આપતા ભાજપના પૂર્વ નેતાએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે વિનંતી કરી છે.