15 ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિની ફિલ્મ્સ ટીવી પર સતત ટેલિકાસ્ટ કરવામાં આવે છે. એક સમયે બોર્ડર, એલઓસી કારગિલ, તિરંગા જેવી ફિલ્મો દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. જોકે, દેશભક્તિ અને અનેક ઔતિહાસિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી બોક્સ-ઓફિસ પર ઉત્તમ કલેક્શન કરી રહી છે. આ સિવાય ટેલિવિઝનમાં તેની ટીઆરપી પણ ઘણી સારી છે.
વર્ષ 2018 માં રિલીઝ થયેલી જોન અબ્રાહમની ફિલ્મ પરમાણુ એક સારી દેશભક્તિની ફિલ્મ છે. આ ફિલ્મ 1998 માં પોખરણમાં ભારત દ્વારા કરાયેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત છે. પરમાણુમાં જ્હોન અબ્રાહમ અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં છે. બોક્સ ઓફિસ પર પરમાણુએ 90 કરોડની કમાણી કરી હતી. આ સિવાય ઘણા સિનેમાઘરોમાં આ ફિલ્મે 50 થી વધુ દિવસો પૂરા કર્યા હતા. ટીવી સિવાય તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ જોઈ શકો છો.
વર્ષ 2019 બોક્સ ઓફિસ પર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક 15 ઓગષ્ટ માટે ઉત્તમ પસંદગી છે. આ ફિલ્મ વર્ષ 2016 માં આતંકવાદીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સરહદ સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે. વિકી કૌશલને આ વર્ષે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ જી 5 પર પણ ઉપલબ્ધ છે.
દેશભક્તિની ફિલ્મોનો ઉલ્લેખ અક્ષય કુમારની ફિલ્મો વિના અધૂરો છે. વર્ષ 2019 માં અક્ષય કુમારની પહેલી ફિલ્મ કેસરીએ બોક્સ ઓફિસ પર 150 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 1893 માં સારાગઢીનાં યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધમાં 21 શીખોએ 10,000 અફઘાનીઓને રોકી રાખ્યા હતા. ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર પણ ઉપલબ્ધ છે. અક્ષય કુમારની દેશભક્તિની ફિલ્મોની સૂચિ ઘણી લાંબી છે. 2016 માં રીલિઝ થયેલી એરલિફ્ટને પણ પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ 1991 માં ગલ્ફ વોર દરમિયાન કુવૈતથી ભારતીયોને સલામત રીતે પરત લાવવા પર આધારિત છે.
આ વર્ષે 15 ઓગષ્ટનાં દિવસે અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ ફરી એક વખત સામ-સામે આવશે. અક્ષય કુમારની મિશન મંગલ ઈશરો દ્વારા ચર્ચાયેલ મંગલ પર આધારિત છે. અક્ષય કુમાર સિવાય આ ફિલ્મમાં તાપ્સી પન્નુ, વિદ્યા બાલન, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી અને સોનાક્ષી સિન્હા છે.
જ્હોન અબ્રાહમની ફિલ્મ બટલા હાઉસ પણ 15 ઓગષ્ટનાં દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષ 2008 માં દિલ્હીનાં બટલા હાઉસમાં વિવાદિત એન્કાઉન્ટર પર આધારિત છે. આ એન્કાઉન્ટરમાં પોલીસે સિમી આતંકવાદીઓને ઠાર માર્યા હતા. નિખિલ અડવાણી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.