અયોધ્યા કેસ કે રામ જન્મભૂમી – બાબારી મસ્જીદનાં જમીન વિવાદ કેસમાં આજે જ્યારે સુપ્રીમ દ્વારા પોતાનો ચૂકાદો સંભળાવવા જઇ રહી છે ત્યારે RSSના સર સંચાલક મોહન ભાગવત દ્વારા આજે બપોરે 1 વાગ્યા પછી મીડિયાને સંબોધન કરાશે.
સુપ્રીમ કોર્ટ આજે દેશના સૌથી જૂના કેસ અયોધ્યા અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજે બપોરે 1 વાગ્યે અયોધ્યા જમીન મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મીડિયાને સંબોધન કરશે. ભાગવત અને RSS દ્વારા આ મામલે તમામને શાંતિ જાળવી, કોર્ટનાં નિર્ણયને સ્વીકારવાની અપીલ પણ કરવામાં આવી હતી.