રામ મંદિર દર્શન/ અયોધ્યા રામ મંદિર : ભક્તોની આસ્થાને લઈને મંદિરમાં દર્શનના સમયમાં કરાયો વધારો, શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર

અયોધ્યામાં રામલલાના દરવાજે હજુ પણ આસ્થાનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા.

Top Stories India

અયોધ્યામાં રામલલાના દરવાજે હજુ પણ આસ્થાનો માહોલ છે, પરંતુ દર્શન વ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. ગુરુવારે રામજન્મભૂમિ રોડ પર મુલાકાતીઓની અતૂટ કતાર જોવા મળી હતી, પરંતુ પ્રથમ દિવસ જેવી અરાજકતાની સ્થિતિ જોવા મળી ન હતી. મંગળવારે પાંચ લાખથી વધુ અને બુધવારે લગભગ ત્રણ લાખ ભક્તો રામ મંદિર પહોંચ્યા હતા. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 1.5 લાખથી વધુ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા.

ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મંગળવારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા બાદ અને વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ સાથે બેઠક યોજીને મુખ્યમંત્રીએ આપેલી સૂચનાથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી રહી છે.

દર્શનના સમયમાં કરાયો વધારો

દર્શનનો સમયગાળો સવારે 6 વાગ્યાથી વધારીને 10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. ગર્ભગૃહના દરવાજા માત્ર આરતી અને ભોગ દરમિયાન થોડી ક્ષણો માટે બંધ રાખવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. પહેલા બે દિવસમાં જ લગભગ આઠ લાખ રામ ભક્તોએ તેમના આરાધ્યદેવના દર્શન કર્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ હવે પોતપોતાના ગંતવ્ય સ્થાને પરત ફરવા લાગ્યા છે.

સુરક્ષા માટે હાજર પોલીસકર્મીઓ

અવધ નગરીમાં ઉમટી રહેલા શ્રદ્ધાળુઓની દેખરેખ માટે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. અયોધ્યાના એસએસપી રાજકરણે કહ્યું કે રામ મંદિરમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તો સરળતાથી રામલલાના દર્શન કરી શકે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 23 જાન્યુઆરીના રોજથી જાહેર જનતા માટે મંદિર ખુલ્લુ મુકાયા બાદથી દર્શનાથીઓની સંખ્યા સતત વધી રહી છે. અયોધ્યામાં અપેક્ષા કરતા વધુ ભીડ વધતા સીએમ યોગીએ કમાન સંભાળતા હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ત્રણ દિવસની અંદર 15 લાખથી વધુ ભક્તો પૂરા ઉત્સાહ સાથે આરામથી દર્શન અને પૂજા કરી રહ્યા છે.

શ્રદ્ધાળુઓને અસુવિધા

અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત બાદ શ્રદ્ધાળુઓ કયા માર્ગે પરત ફરવું તેને લઈને અસુવિધા જોવા મળી. મુલાકાતીઓને રામનગરીની હદ સુધી જ ટેમ્પો-ટેક્સી અને ઈ-બસની સુવિધા લઈ શકે છે. ટેમ્પો ટેક્સીઓ જલ્પા ચારરસ્તા સુધી જ જાય છે, જ્યાંથી રામ મંદિર લગભગ ત્રણ કિલોમીટર દૂર છે. જો કોઈ ભક્ત સિવિલ લાઈન બસ સ્ટેશન આવવા ઈચ્છે તો તેણે લાંબુ અંતર કાપવું પડે છે. આવી સ્થિતિમાં પરત ફરતા શ્રદ્ધાળુઓ રેલવે સ્ટેશન પર આવતા સૌથી રેલવે મંત્રાલય પર દબાણ આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને રેલવે મંત્રાલય આ મામલે કામગીરી કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ

આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન