હિંદુઓના ચાર ધામોમાંના એક, બૃહદ્રનાથ ધામ એટલે ભગવાન વિષ્ણુનું ધામ બદ્રીનાથ. તે ભારતના ઉત્તરાંચલ રાજ્યમાં અલકનંદા નદીનાં ડાબા કાંઠે નાર અને નારાયણ નામના બે પર્વતમાળાઓ વચ્ચે સ્થિત છે. ગંગા નદીના કાંઠે સ્થિત આ મંદિર હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3,050 મીટરની ઉંચાઈએ સ્થિત છે. આ ધામનું નામ બદ્રી રાખવામાં આવ્યું છે, કારણ કે અહીં બેરી એટલે કે બોર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એવું કહેવામાં આવે છે કે આ અગાઉ શિવ અને પાર્વતીજીનું સ્થાન હતું. ચાલો આ સંદર્ભમાં દંતકથા જાણીએ.

એવું માનવામાં આવે છે કે બદ્રીનાથ ધામ એક સમયે ભગવાન શિવ અને પાર્વતીના આરામ સ્થાન હતા. અહીં ભગવાન શિવ તેમના પરિવાર સાથે રહેતા હતા પરંતુ શ્રીહરિ વિષ્ણુને તે સ્થાન એટલું ગમ્યું કે તેમણે તેની ઉપર કબજો કરવાનું વિચાર્યું,
એક માન્યતા અનુસાર, ભગવાન નારાયણ જ્યારે સતયુગમાં બદ્રીનાથ આવ્યા, ત્યાં મેદાનોનું જંગલ હતું, અને ભગવાન શંકર અહીં તેમના પત્ની પાર્વતીજી સાથે રહેતા હતા. એક દિવસ શ્રીહરિ વિષ્ણુએ બાળકનું રૂપ ધારણ કર્યું અને મોટેથી રડવા લાગ્યાં. તેમનો રડવાનો અવાજ સાંભળીને માતા પાર્વતીને ખૂબ જ દુખ થયું. તેઓ વિચારવા લાગ્યા કે આ કઠોર જંગલમાં આ બાળક કોણ રડે છે? તે ક્યાંથી આવ્યું? અને તેની માતા ક્યાં છે?

આ બધું વિચારીને માતાને બાળક પર દયા આવી. પછી તે બાળકને લઈને ઘરે પહોંચી ગયા. શિવજી તરત જ સમજી ગયા કે આ વિષ્ણુની કોઈ કપટી ચાલ છે. તેમણે પાર્વતીજી ને આ બાળકને ઘરની બહાર જ છોડી દેવા વિનંતી કરી અને કહ્યું કે તે થોડા સમય માટે પોતાની જાતે રડતો રહેશે. અનેપોતાના ઘરે પાછો જતો રહેશે. પરંતુ પાર્વતીજી એ શિવજીની વાત નાં માની. અને બાળકને ઘરમાં લઈ ગયા પછી તેણે તેને ચૂપ કરાવી સુવડાવી દીધો. બાળક નિદ્રાધીન થયા પછી તરત જ માતા પાર્વતી બહાર આવી અને શિવ સાથે થોડે દૂર ફરવા ગઈ. ભગવાન વિષ્ણુ આ ક્ષણની રાહ જોતા હતા. તે ઉભા થયા અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.

ભગવાન શિવ અને પાર્વતી ઘરે પાછા ફર્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેણે બાળકને દરવાજો ખોલવાનું કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ અંદરથી કહ્યું કે ભગવન હવે આ ઘર ભૂલી જાઓ. મને આ જગ્યા ખૂબ ગમે છે. મને અહીં આરામ કરવા દો. તમે હવે અહીંથી કેદારનાથ જાવ. બસ ત્યારથી અહીં બદ્રીનાથમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના કેદાનાથમાં તેમના ભક્તોને દર્શન આપી રહ્યા છે.
