બનાસકાંઠા,
બનાસકાંઠાના થરાદમાં આવેલી એસબીઆઇને બેંકને તાળું મારી દેવામાં આવ્યું હતું. આ તાળુ તાલીમના બહાને મારી દેવામાં આવ્યું હતું. જેથી ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. અલગ અલગ ગામડામાંથી આવેલા લોકોને ધરમના ધક્કા ખાવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બેંકોની કથળી રહેલી સ્થિતિને લઇને બેંકને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો આ બાબતે ગ્રાહકોનું કહેવું છે કે તાલીમ રજાના દિવસે રાખવી જોઇએ. જેથી દૂર દૂરથી આવતા લોકોને ધક્કા ખાવા ન પડે.