ભારત (IND) અને વેસ્ટ ઈન્ડિઝ (WI) વચ્ચેની ODI શ્રેણી પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટો નિર્ણય લીધો છે. કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને, BCCIએ યુવા ખેલાડીઓ શાહરૂખ ખાન અને સાંઈ કિશોર ને ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયા સાથે બાયો બબલનો પણ ભાગ બનશે. જો જરૂર પડશે તો તેને વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. બંને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં છે.
યુવા બેટ્સમેન શાહરૂખ ખાન અને સ્પિનર રવિ શ્રીનિવાસ સાંઈ કિશોર વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી છ મેચોની મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડીઓ તરીકે જોડાશે. રાષ્ટ્રીય સ્તરે તમિલનાડુની સફળતામાં શાહરૂખ અને સાંઈ કિશોરની મોટી ભૂમિકા હતી. કોવિડ-19 સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે બંનેને ટીમ સાથે જોડવામાં આવ્યા છે. જો ટૂર્નામેન્ટ દરમિયાન મુખ્ય ટીમનો કોઈ ખેલાડી કોવિડ પોઝીટીવ જોવા મળે છે, તો આ ખેલાડીઓને ટીમમાં સામેલ કરી શકાય છે. આ વાતની પુષ્ટિ કરતા BCCIના એક વરિષ્ઠ અધિકારીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું, “હા, શાહરૂખ અને સાંઈ કિશોરને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ‘સ્ટેન્ડબાય’ તરીકે બોલાવવામાં આવ્યા છે. તે મુખ્ય ટીમના ખેલાડીઓ સાથે બાયો-બબલમાં પણ પ્રવેશ કરશે.
કોચ રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં સાઈ કિશોર નેટ બોલરોના જૂથનો ભાગ હતો. તે બીજી વખત રાષ્ટ્રીય ટીમનો ભાગ બની રહ્યો છે. શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી મુખ્ય ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં છે. આ સિઝનમાં કર્ણાટક સામે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં તેણે છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાઈ કિશોરે આ મેચમાં 3 વિકેટ પણ લીધી હતી.
ODI અને T20 શ્રેણી ક્યારે રમાશે?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ 6 ફેબ્રુઆરી, બીજી વનડે 9 ફેબ્રુઆરી અને ત્રીજી મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. શ્રેણીની તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ પછી 16 ફેબ્રુઆરીએ પ્રથમ T20 મેચ રમાશે. બીજી મેચ 18 ફેબ્રુઆરીએ અને ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. શ્રેણીની તમામ મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
બજેટ 2022 / બજેટમાં ફેરફાર માટે આ 5 નાણા મંત્રીઓને યાદ કરવામાં આવે છે, 160 વર્ષ જૂનો છે ઈતિહાસ
કિશન ભરવાડ હત્યા કેસ / કિશન ભરવાડ મર્ડર કેસમાં અભિનેત્રી કંગના રનૌતે કરી આવી માંગણી