છોટાઉદેપુરના બોડેલી ઓરસંગ નદીનો બ્રિજ તૂટ્યાની અફવા ફેલાઇ હતી..જેથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહી રહી છે. આશરે 28 વર્ષ પહેલા ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતાં અડધો બ્રિજ તૂટી ગયો હતો. તો હેરણ નદી ગાંડતુર બનતાં ગઇકાલે કોસિદ્રા – ચિખોદ્રા વચ્ચેનો લો-લેવલ બ્રીજ તુટી ગયો હતો, જેના કારણે બોડેલીનો બ્રીજ તુટવાની અફવાથી ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. તો અફવાની મંતવ્ય ન્યૂઝને જાણ થતાં સ્થળ મુલાકાત લીધી હતી. અને લોકહિતમાં વરસતા વરસાદમાં જોખમ સાથે આફવા, અફવા જ છે તેવું મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ સાથે પ્રસ્થાપિત કરી લોકોને આસ્વસ્થ કરવામા આવ્યા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
