Child Racket/ રાજકોટના જસદણમાં બાળકો વેચવાનું કૌંભાડ

રાજકોટના જસદણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવીને બાળક વેચી દેવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ડોક્ટર રાદડિયાએ સગીરાને અધૂરા મહિને જન્મેલા બાળકને વેચી દીધુ હોવાની વાતનો ઘટસ્ફોટ થયો છે.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ રાજકોટના જસદણમાં (Jasdan) બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવીને બાળક વેચી દેવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ડોક્ટર રાદડિયાએ સગીરાને અધૂરા મહિને જન્મેલા બાળકને વેચી દીધુ હોવાની વાતનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ખૂલેલા એક પછી એક પત્તામાં ડોક્ટરે અગાઉ બે બાળકોને વેચ્યાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસે આ કેસની સઘન તપાસ હાથ ધરવાનું શરૂ કરતા બાળકો કોને વેચાયા છે તેની માહિતી પોલીસને મળી છે. બાળકોના વેચાણની વાત બહાર આવતા પોલીસે આ કેસમાં સઘન તપાસ શરૂ કરી છે. પોલીસ ડોક્ટરની પૂછપરછ કરી રહી છે અને બાળકોને વેચવાના કૌભાંડના એક પછી એક અંકોડા મેળવી રહી છે.

પોલીસને શંકા છે કે આ કૌભાંડ કદાચ ગુજરાત પૂરતુ સીમિત નથી, આ કૌભાંડ આંતરરાજ્ય કૌભાંડ પણ હોઈ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે આવા કૌભાંડમાં જે રાજ્યમાં ચોરાયેલા બાળકો હોય તેનું તે રાજ્યમાં વેચાણ થતું નથી બીજા રાજ્યમાં વેચાણ થાય છે. તેથી પોલીસ આ કેસમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણીની સંભાવના ચકાસી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Entertainment/શું છે બબીતાજી અને ટપ્પુની સગાઈનું સત્ય? મુનમુન દત્તાએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચોઃAmitabh Bachchan Hospitalized/અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી,કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, કરાવી એન્જિયોપ્લાસ્ટી સર્જરી

આ પણ વાંચોઃhina khan/યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાન ગંભીર બીમારીથી પીડિત, ચાહકો ચિંતિત થયા કહી આ વાત