ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં હતા. જેથી આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કેવડિયા ગયા હતા. વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

રાજ્યની જીવાદોરી એવા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક લેવેલે પહોંચી છે. પાણીની આવક વધતા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની હાલની જળસપાટી 131.20 મીટર પહોંચી છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી 6 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીકાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
