રાજકોટ,
રાજકોટમાં કોંગ્રેસના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરના કોંગી આગેવાનો દ્વારા પોતાના વિસ્તારના વેપારીઓને દુકાનો બંધ રાખી કોંગ્રેસના સમર્થનમાં જોડાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓએ આંશિક સમર્થન આપ્યુ હતુ.
અમુક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. રાજકોટના રેસકોર્શ ખાતે ઇન્ડિય ઓઇલ ભવનની ઓફિસ બહાર કોંગી કાર્યકર્તા મનસુખ વાળા દ્વારા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું પૂતળું જાહેરમાં મુકવામાં આવ્યું હતું.
પૂતળાદહનની તૈયારી કરવામાં આવી હતી. જો કે આ કાર્યકર્તા પુતળાનું દહન કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની પૂતળા સાથે અટકાયત કરવામાં આવી હતી.