ભાવનગર,
ભાવનગરમાં વાળુકળ ગામે મેડિકલ સ્ટાફના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીન અનુભવી કર્મચારી કામ કરતા દર્દીઓના જીવન જોખમાઇ રહ્યુ છે.
મેડીકલ ઓફસર પૂજા ગોહેલે જણાવ્યુ કે, બે દિવસ પહેલા તળાજા ખાતે સગર્ભા મહિલાનું સ્વાઈન ફલૂમાં મૃત્યુ થયુ. સ્ટાફના અભાવે કોઈ સગર્ભા બહેનોને કે નવજાત બાળકોને રસીકરણની કામગીરી થતી નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રિપોર્ટ થતા નથી અને દવાનું વિતરણ પટ્ટાવાળા ભાઈઓ કરે છે. જેને દવા વિશે કોઈ અનુભવ નથી.