Junagadh News: જૂનાગઢમાં ભાજપના નેતા જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જૂનાગઢમાં આપેલા તેમના નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે કહ્યું કે વિસાવદરમાં સંગઠનની તાકાત વધી છે અને વિસાવદરમાં નવી પદ્ધતિઓ અને સંબંધો શરૂ થયા છે. આ વિસ્તારમાં સૌથી મોટી વાત એ થઈ છે કે તમે તેમાં સંગઠિત બન્યા છો.આવું જવાહર ચાવડાએ નિવેદન આપ્યું છે.
જવાહર ચાવડાએ કહ્યું, “હું તમારો રાજકીય લાભ નથી ઇચ્છતો અને વિસાવદર તાલુકામાં સમાજ બનાવજો અને સુમેળમાં રહેજો.” તેમણે આ નિવેદન આહિર સમાજના એક કાર્યક્રમમાં આપ્યું હતું. નોંધનીય છે કે ગોપાલ ઇટાલિયાની જીત પછી “જય જવાહર” ના નારા લાગ્યા હતા. જે સમયે આ નારા લાગ્યા હતા, તે સમયે એવી પણ ચર્ચા થઈ હતી કે જવાહર ચાવડાએ ગુપ્ત રીતે ગોપાલ ઇટાલિયાને જીતવામાં મદદ કરી હતી. એવું લાગે છે કે જવાહર ચાવડા ભાજપ પક્ષથી નારાજ છે.
ચાવડાએ આહિર સમાજને રહસ્યમય શબ્દોમાં સંકેત આપ્યો, જવાહર ચાવડાએ કહ્યું, જ્યાં તમને મારી જરૂર પડશે ત્યાં હું ઉભો રહીશ અને તેમણે વિસાવદર તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી, આહિર સમાજે ગામડાઓમાં જવાહર ચાવડાને સન્માનિત કર્યા, ભાજપના જવાહર ચાવડાએ વિસાવદરના તે 13 ગામોની મુલાકાત લીધી છે જ્યાં ગોપાલ ઇટાલિયાને મોટી જીત મળી હતી. તેઓ માત્ર મુલાકાત જ નહીં પરંતુ અહીં ઘોડા પર બેઠેલા પણ જોવા મળ્યા. જાંબુડાના ગ્રામજનોએ ઘોડા પર સરઘસ કાઢીને તેમનું સ્વાગત કર્યું છે.
આ પણ વાંચો:રાજ્યના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાનો ‘લેટર બોમ્બ’
આ પણ વાંચો:ગુજરાતના રાજકારણમાં મચશે ખળભળાટઃ જવાહર ચાવડાએ ભાજપનું પ્રતીક હટાવ્યું
આ પણ વાંચો:જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી માંડવિયાને લખ્યો પત્ર, ટોલ ટેક્સને લઈ થતાં અન્યાય સામે…
