દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિશ્વવ્યાપી કોરોના દ્વારા અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં કોરોના કેસ વધીને 46,433 થયા છે, જ્યારે અત્યાર સુધીમાં 12,726 લોકો ઠીક થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1,568 લોકોનાં મોત નીપજ્યાં છે, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. 3,900 નવા કેસ અને 195 લોકો એક જ દિવસમાં મરી ગયા.
વળી હવે કોરોનાની ઝપટમાં સેનાનાં જવાનો આવી ગયા છે, પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 67 બીએસએફ જવાનોને કોરોનાએ પોતાના કબજે લઇ લીધા છે, અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, સોમવારે વધુ 13 સૈનિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, આ પહેલા રવિવારે ત્રિપુરામાં જ બીએસએફનાં 12 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે શનિવારે પણ 2 જવાનોનાં કોરોના રિપોર્ટ સામે આવ્યા હતા, જ્યારે અગાઉ દિલ્હીમાં બીએસએફનાં 41 જવાનોને ચેપગ્રસ્ત મળી આવ્યા હતા.
From Delhi there are a total of 41 positive cases and one is from Kolkata. One BSF personnel, while on leave, has also tested #COVID19 positive: Border Security Force (BSF) https://t.co/aglt3PouPz
— ANI (@ANI) May 4, 2020
વળી ભિવાનીનાં કોરોના આશંકિત બીએસએફ જવાનનું દિલ્હીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. રવિવારે જવાનનો સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો અને હજી રિપોર્ટ આવ્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના ચેપનાં કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ રોગચાળાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 12 હજારને વટાવી ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 548 મોત થયા છે. ગુજરાતમાં કોરોના ચેપનાં 5,428 કેસ છે અને 290 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી દિલ્હીમાં 4,549, મધ્યપ્રદેશમાં 2,846, રાજસ્થાનમાં 2,886 અને તમિલનાડુમાં 3,023 કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.