નાણામંત્રી નિર્મલા સીતારામને નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પૂર્ણ બજેટ લોકસભામાં રજૂ કર્યું છે. તેમણે પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું છે. તેમને જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થાનો પાયો મજબુત છે. ફુગાવો નિયંત્રણમાં છે.
આ પરિવર્તનનું માળખાગત સુવિધા અને સમાવિષ્ટ વિકાસમાં સુધારો એ લાક્ષણિકતા છે. આ બજેટ તેમની આવક સુનિશ્ચિત કરવા અને તેમની ખરીદ શક્તિ વધારવા માટે છે. હું જીએસટીના ચીફ આર્કિટેકટ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપું છું. નીચા જીએસટી દરોણે કારણે પરિવારના સરેરાશ માસિક ખર્ચના 4% બચાવ્યા છે.
બે વર્ષમાં 60 લાખથી વધુ કરદાતાઓ ઉમેર્યા હતા. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020 થી રજૂ કરવામાં આવશે.
સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ, કાર્યક્રમોના અમલીકરણની ગતિ અનેકગણી વધી. 2009-14 દરમિયાન ફુગાવો 10.5 ટકાની રેન્જમાં હતો. અમે હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. વર્ષ ૨૦૧૪-૧૯ દરમિયાન ભારતનું સીધું વિદેશી રોકાણ 244 બિલિયન ડોલર હતું. માર્ચ 2019 માં કેન્દ્ર સરકારનું દેવું જીડીપીના 48.7 ટકા પર આવી ગયું હતું. ભારતે 2006 – 16 ની વચ્ચે 271 મિલિયન લોકોને ગરીબીથી ઉપર વધવામાં મદદ કરી છે.
હું આ બજેટને બે અદ્યતન વિકાસની પૃષ્ઠભૂમિ સામે રજૂ કરવા માંગું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
