![સચિન પાયલોટ બાદ કોંગ્રેસ હવે આ નેતાને બતાવી શકે છે પાર્ટી બહારનો રસ્તો 3 68c3422788540c84f76a9ea63af89b94 સચિન પાયલોટ બાદ કોંગ્રેસ હવે આ નેતાને બતાવી શકે છે પાર્ટી બહારનો રસ્તો](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/68c3422788540c84f76a9ea63af89b94.jpg)
રાજસ્થાનમાં પાર્ટીનાં દિગ્ગજ નેતા સચિન પાયલોટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ કોંગ્રેસ હવે પાર્ટીનાં બીજા નેતા પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. મુંબઇ કોંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ એકનાથ ગાયકવાડે પક્ષનાં ઉચ્ચ નેતૃત્વને એક રિપોર્ટ આપ્યો હતો, ત્યારબાદ સંજય નિરૂપમને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગનાં આરોપસર પાર્ટીમાંથી હાંકી કાઠવામાં આવી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે શિવસેના સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદથી સંજય નિરૂપમ સતત પોતાના પક્ષને નિશાન બનાવતા આવ્યા છે. તાજેતરમાં, જ્યારે રાજસ્થાનમાં રાજકીય ગરમાવા વચ્ચે સચિન પાયલોટને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા, ત્યારે સંજય નિરૂપમે પણ ટોચનાં નેતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. સંજય નિરૂપમે ટ્વીટ કરીને લખ્યું, ‘યોગ્ય રહેશે, પાર્ટી સચિન પાયલોટને સમજાવે અવે રોકે. કદાચ પાર્ટીમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે જો તેઓ જવા માંગતા હોય તો અમે રોકીશું નહીં. આજનાં સંદર્ભમાં આ વિચારસરણી ખોટી છે. માનીએ કે, પાર્ટી એક વ્યક્તિનાં ચાલ્યા જવાથી પૂરી થતી નથી, પરંતુ જો દરેક એક પછી એક ચાલ્યા જશે, તો પાર્ટીમાં કોણ બાકી રહેશે? ‘
કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “સચિન પાયલોટને હટાવ્યા પછી પાર્ટીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, શિસ્તબદ્ધ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ નેતાઓને સજા થવી જોઈએ.” પક્ષની નીતિઓ અંગે સતત ટ્વીટ કરતા કેટલાક નેતાઓ હવે કોંગ્રેસનાં રડાર પર આવી ગયા છે. મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે પણ સંજય નિરૂપમે કોંગ્રેસનાં નેતૃત્વ પર પ્રહાર કર્યા હતા. સંજય નિરૂપમે કહ્યું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસમાં બે જૂથો હતા, પહેલો જૂથ સોનિયા ગાંધીનો હતો અને બીજો જૂથ રાહુલનાં નેતૃત્વમાં કાર્યરત હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.