![LAC પર 1.5 કિમી અંદર છે ચીની સેના, પી.ચિદમ્બરમે મોદી સરકાર પર કર્યા પ્રહાર 3 41b3bfa564710ea9268153d3997d1998 LAC પર 1.5 કિમી અંદર છે ચીની સેના, પી.ચિદમ્બરમે મોદી સરકાર પર કર્યા પ્રહાર](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/41b3bfa564710ea9268153d3997d1998.png)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પૂર્વ લદ્દાખમાં થયેલા હિંસક અથડામણમાં મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે એક ટ્વિટ કરીને મોદી સરકારને ખોટી ગણાવતા આરોપ લગાવતા કહ્યું છે કે, ભારત સરકાર એવો દાવો કરતી રહી કે આપણી જમીન પર કોઈએ અતિક્રમણ નથી કર્યું પરંતુ આવા નિવેદનો માત્ર ગપગોળા સાબિત થયા.
ચિદંબરમે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ભારતીય સુરક્ષા એજન્સીઓએ કરેલી આકારણી પ્રમાણે ચીની સેના હજુ પણ LAC પાર કરીને 1.5 કિમી અંદર સુધી ભારતીય સીમામાં ઘૂસેલી છે. મે મહીનામાં ચીની સેના LAC પાર કરીને આપણી સીમામાં 5 કિમી અંદર સુધી આવી ગઈ હતી.’
भारतीय सुरक्षा एजेंसियों ने आकलन किया है कि चीनी सैनिक अभी भी 1.5 कि.मी. तक LAC के भारतीय क्षेत्र में (भारत की धारणा के अनुसार) हैं।
मई में, चीनी सैनिकों ने LAC के हमारी तरफ 5 किलोमीटर तक घुसपैठ किया था।— P. Chidambaram (@PChidambaram_IN) July 18, 2020
Loading tweet…