દિવસેને દિવસે ઝારખંડમાં કોરોના ચેપનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકારે કડક વલણ અપનાવ્યું છે. નવી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાથી બે વર્ષની જેલની સજા અથવા એક લાખ રૂપિયા દંડ થઈ શકે છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 39 દરખાસ્તોની પુષ્ટિ કરવામાં આવી છે. ઝારખંડ કેબિનેટે સંક્રમણ રોગ અધ્યાદેશ 2020 આંશિક રૂપથી પાસ કરી દીધો છે, જે હેઠળ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
નિર્ણય અંગે માહિતી આપતા કેબિનેટ સચિવ અજયકુમાર સિંહે કહ્યું કે, કેબિનેટે ઝારખંડ રાજ્યનાં નવા રાજ્ય લોગોને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં પલાસનું ફૂલ, હાથી અને અશોક સ્તંભને દર્શાવતુ ઝારખંડની લીલા રંગની ધરતીને બતાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.