![#કોરોનાસંકટ/ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, અમદાવાદ બીજુ વુહાન બનશે : ઇમરાન ખેડાવાલા 3 397d9a2b3c77bc217fe4b34e1ddcb06a #કોરોનાસંકટ/ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, અમદાવાદ બીજુ વુહાન બનશે : ઇમરાન ખેડાવાલા](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/07/397d9a2b3c77bc217fe4b34e1ddcb06a.png)
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જઇ રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પણ આક્ષેપ કરી રાજકીય લાભ ખંતવાનો પ્રયાસ કરતાં હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાના વધતાં કહેર અંગે કોંગ્રેસ-ભાજપ આક્ષેપ – પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. અને કોરોના મુદ્દે બંન્ને મુખ્ય રાજકીય પક્ષ રાજકારણ ખેલી રહ્યાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂર્વ કમિશનર વિજય નહેરાએ કરેલી વાતને યાદ કરાવી કહ્યું હતું કે, 8 લાખ કેસ થશે અને તે વાત યથાર્થ ઠરી હોવાની વાત કરી હતી. સાથે અમદાવાદની સ્થિતિ વુહાન જેવી થવાનો આક્ષેપ કર્યો હતો.
ત્યારે ઇમરાને કરેલાં આક્ષેપનો જવાબ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આપ્યો છે. ભૂષણ ભટ્ટે કોરોનાના ટેસ્ટ થતાં રોક્યા કોણે ? એવો પ્રશ્ન પૂછી જો સમયસર ટેસ્ટ કરાવ્યા હોત તો આજે આ સ્થિતિ નહીં આવી હોત તો વળતો જવાબ આપતાં હાલ કોરોનામાં રાજકારણ અને રાજકીયપક્ષ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે.
અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.