આજે રાફેલ ભારતની ધરતી પર આવવા માટે UAE થી રવાના થઇ ચુક્યું છે. આજે બપોરે 5 રાફેલ ફાઇટર જેટ હરિયાણાનાં અંબાલા પહોંચી જશે. જેને લઇને દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. રાફેલનાં દેશમાં આવવા માટે UAE થી રવાના થયાના સમાચાર સામે આવતા હરિયાણાનાં મંત્રી અનિલ વિજે એક મોટુ નિવેદન આપ્યું છે.
હરિયાણાનાં મંત્રી અનિલ વિજે રાફેલ જેટ વિમાન મુદ્દે નિવેદન આપતા ટ્વીટ કરતા લખ્યુ, આજે ઈતિહાસ રચવા જઇ રહ્યો છે. અંબાલાનાં લોકો રાફેલ ફાઇટર જેટની રાહ જોઇ રહ્યા છે. જો કોવિડ-19 ન હોત તો અહી લોકો ફાઈટર જેટનું સ્વાગત સમારોહ સાથે કરતા.
Today, history is being created. The people of Ambala are awaiting the arrival of #Rafale fighter jets. If there was no COVID19, the people here would have welcomed the fighters jets with celebrations: Haryana Minister Anil Vij pic.twitter.com/goq7uKF0MU
— ANI (@ANI) July 29, 2020