Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, અત્યાર સુધીમાં 1301 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

ભારતમાં વિદેશી નાગરિકો સહિત કોરોના વાયરસ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 39,980 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19 ચેપને કારણે 1,301 મોત થયા છે. વળી દેશનાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો છે. મહારાષ્ટ્ર, કોવિડ-19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં અત્યાર સુધીમાં 521 લોકો મૃત્યુ પામ્યા […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 2 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, અત્યાર સુધીમાં 1301 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ
b40c54b5169f5e97198ffb606d70148d 2 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનું તાંડવ, અત્યાર સુધીમાં 1301 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

ભારતમાં વિદેશી નાગરિકો સહિત કોરોના વાયરસ રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 39,980 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19 ચેપને કારણે 1,301 મોત થયા છે. વળી દેશનાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો છે.

મહારાષ્ટ્ર, કોવિડ-19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં અત્યાર સુધીમાં 521 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં વાયરસથી 151 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી ગુજરાતમાં ચેપને કારણે 262 અને દિલ્હીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા લગભગ 40 હજાર પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 39,980 કોરોના દર્દીઓ છે. આ ઉપરાંત, 1,301 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.