કોરોના વાયરસ જેવા જીવલેણ રોગનાં ઈલાજ માટે સમગ્ર વિશ્વ સખત મહેનત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત 4 નવી દવાઓની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, રવિવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતમાં 4 દવાઓનાં ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.
આરોગ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટીનાં નેતા જીવીએલ નરસિંહા રાવ સાથે સોશિયલ મીડિયાની વાતચીત દરમિયાન આ વાત કહી હતી કે, આ દવાઓની ટ્રાયલ આવતા 5 મહિનામાં શરૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોગ્ય મંત્રીનાં નિવેદન દ્વારા આ અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતમાં કોરોના વાયરસની વેક્સીન પર કામ ચાલી રહ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.