કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથેની સરહદ પર તણાવ અંગે મોદી સરકારનાં મૌન વિશે પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ચીનની સરહદ પરની પરિસ્થિતિ અંગે સરકારનાં મૌનને લઇને, સંકટનાં આ સમયમાં અટકળોની અનિશ્ચિતતા વેગ પકડી રહી છે અને અનિશ્ચિતતા બની રહી છે. ભારત સરકારે સ્પષ્ટપણે ભારતને કહેવું જોઈએ, શું થઈ રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, 5 મે નાં રોજ ભારત અને ચીનનાં 250 જેટલા સૈનિકોની પૂર્વ લદ્દાખનાં પૌગોંગ તળાવ વિસ્તારમાં લોખંડનાં સળિયા અને લાકડીઓથી અથડામણ થઇ હતી. બંને બાજુ પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં બંને દેશોનાં સૈનિકો ઘાયલ થયા હતા. આવી જ બીજી ઘટનામાં, 9 મે નાં રોજ સિક્કિમ સેક્ટરમાં નાકુલા પાસે નજીક બંને દેશોનાં લગભગ 150 સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પૈંગોંગ ત્સો તળાવ અને ગલવાન વેલીમાં, એલએસીને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં પણ બંને બાજુથી સૈન્યની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.
The Government’s silence about the border situation with China is fueling massive speculation and uncertainty at a time of crisis.
GOI must come clean and tell India exactly what’s happening.
— Rahul Gandhi (@RahulGandhi) May 29, 2020
ગલવાનની આસપાસનાં વિસ્તારોમાં છ દાયકાથી પણ વધુ સમયથી બંને પક્ષો વચ્ચે સંઘર્ષનું કારણ બનેલ છે. 1962 માં, આ ક્ષેત્રને લઈને એક સંઘર્ષ પણ થયો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે, ચીને ગલવાન ખીણમાં ઓછામાં ઓછા 40-50 તંબુ ગોઠવ્યા છે, ત્યારબાદ ભારતે વધારાનાં સૈન્ય મોકલ્યા છે. તણાવની આ સ્થિતિ પર પણ વિશ્વની નજર છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર મધ્યસ્થી કરવાની ઓફર કરતાં કહ્યું છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી જે બંને દેશો વચ્ચેનાં “મોટા વિવાદ” અંગે સારા મૂડમાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.