![દેશમાં કોરોના સંક્રમણનાં કેસોમાં થઇ રહ્યો છે વધારો, ભારત એક અઠવાડિયામાં બ્રાઝિલથી નીકળ્યું આગળ 3 bb397bcc8edca8dd8f54e85879b83cdb દેશમાં કોરોના સંક્રમણનાં કેસોમાં થઇ રહ્યો છે વધારો, ભારત એક અઠવાડિયામાં બ્રાઝિલથી નીકળ્યું આગળ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/bb397bcc8edca8dd8f54e85879b83cdb.jpg)
સમગ્ર વિશ્વ કોરોના રોગચાળા સામે લડી રહ્યું છે, વર્લ્ડો મીટર પ્રમાણે, કોરોનાનાં કારણે 4 લાખ 11 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 73 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે જ્યારે 35 લાખ 58 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. ભારતમાં પણ કોરોના વાયરસનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનાં 1,29,917 સક્રિય કેસ છે, જ્યારે 1,29,215 લોકો ઠીક થઇ ચુક્યા છે. છે, જેના પછી ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2.67 લાખને વટાવી ગઈ છે.
છેલ્લા બે સપ્તાહમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે, જો તમે છેલ્લા બે અઠવાડિયાનાં આંકડા પર નજર નાખો તો તમે જોશો કે કોરોના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત ટોચનાં 5 દેશોમાં અમેરિકા, રશિયા અને બ્રિટેનમાં ઘટતા સંક્રમણની તુલનામાં ભારત અને બ્રાઝિલમાં તેની ગતિ ખૂબ જ ઝડપી બની છે, સૌથી ચિંતાજનક ભારત છે, જ્યાં બે અઠવાડિયા પહેલા બ્રાઝિલની પાછળ રહેલો ભારત દેશમાં આજે સંક્રમણની દર તેનાથી પણ આગળ વધી ગઇ છે. જે ભારત માટે એક ખરાબ સંકેત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.