Not Set/ ચીનને જવાબ કેવી રીતે આપવો અમે જાણીએ છીએ, શહીદોનું બલિદાન નહી જાય વ્યર્થ : PM મોદી

સોમવારે રાત્રે લદ્દાખમાં એલએસીને લઈને ચીન સાથે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેનાં તણાવને પહોંચી વળવા પ્રયાસો ચાલુ છે. દરમિયાન, આ સમગ્ર ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે અને તેમણે ચીનને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ કોઈ ભ્રમમાં ન રહે, ભારત જાણે છે કે ઉશ્કેરણીનો જવાબ કેવી રીતે આપવો. વડા […]

India

સોમવારે રાત્રે લદ્દાખમાં એલએસીને લઈને ચીન સાથે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેનાં તણાવને પહોંચી વળવા પ્રયાસો ચાલુ છે. દરમિયાન, આ સમગ્ર ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે અને તેમણે ચીનને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ કોઈ ભ્રમમાં ન રહે, ભારત જાણે છે કે ઉશ્કેરણીનો જવાબ કેવી રીતે આપવો. વડા પ્રધાને દેશનાં તમામ રાજ્યો સાથેની વીડિયો કોન્ફરન્સિંગ બાદ આ વાત કરી હતી. આ સાથે જ તેમણે ચીનની સરહદ પર શહીદ થયેલા સૈનિકોને પણ બે મિનિટ મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ આપી.

વડા પ્રધાને તેમના નિવેદનમાં કહ્યું કે, અમે હંમેશા અમારા પડોશીઓ સાથે સહકારથી કામ કર્યું છે. ભારત શાંતિ ઇચ્છે છે પરંતુ ઉશ્કેરણી પર, વ્યાજબી જવાબ આપવા માટે સક્ષમ છે. આપણા દિવંગત શહીદ સૈનિકો અંગે, દેશને એ હકીકત પર ગર્વ થશે કે તેમણે મારતા-મારતા વિરગતિ મેળવી. પીએમ મોદીએ કહ્યું કે, દેશને તેમના બહાદુર પુત્રોની શહાદત પર ગર્વ છે. અમે કોઈને ઉશ્કેરતા નથી પરંતુ ઉશ્કેરણી પર અમારી સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન કરીશું નહીં અને તેમાં કોઈ મૂંઝવણ કે સંદેશો ન હોવો જોઈએ, અમે જાણીએ છીએ કે દરેક ઉશ્કેરણીનો જવાબ કેવી રીતે આપવો. સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે અમે હંમેશાં પ્રયત્ન કર્યો છે કે મતભેદ વિવાદ ન બને. અમારા માટે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાર્વત્રિક છે અને કોઇપણ આપણને તેનું રક્ષણ કરવામાં રોકી શકશે નહીં. આ પછી, વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સિવાય તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ બે મિનિટ મૌન રાખીને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આપને જણાવી દઈએ કે, સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ચીની સેનાની કાર્યવાહી બાદ બંને દેશોનાં સૈનિકો વચ્ચે થયેલા અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચીની સેનાએ પણ 45 સૈનિકોને માર્યા ગયા હોવાના અહેવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.